આપણાંમાં કહેવત છે કે” પાકાં ઘડે કાંઠા ન ચડે” પરંતુ મારા સમય સંજોગોને માન આપીને ઉપરોક્ત ઉક્તિને વ્યર્થ ઠેરવવા માટે મે હિંમત કરીને મારી ૪૨ વર્ષની ઉંમરે નવા વ્યવસાયની શરૂઆત માટે સંઘર્ષ શરૂ કર્યો.
આપને થશે કે ૪૨ વર્ષ સુધી શું કર્યુ ? સ્વાભાવિક છે. જરા વિસ્તારથી જણાવું તો મારી બચપણથી જ ઇચ્છા હતી નોકરી કરીને કોઇના આંગળીવાત થઇને મારે જીવવું નથી.મારા પિતાજી પણ એમજ કહેતા કે” કરી કરીને નોકરી”?
અલબત્ત મારા બચપણમાં મારા પિતાજીની આર્થિક સ્થિતિ નબળી હતી. અને તેમની પાસેની મુડીમા મહેનત ખમીરી તથા નિતિમત્તા હતા. તેના દ્રારા અમને આઠ ભાઇ – બહેનને જે તે સમયે યોગ્ય નિર્ણયો લઇ ભણાવીને અને ખાસ તો ગણાવીને સમાજમાં સ્થાન અપાવ્યું.
મારી ઇચ્છા પહેલી જ વ્યવસાય કરવાની હતી.પરંતુ આ માટે વ્યવહારિક જ્ઞાન જોઇએ જ.આ માટે ચાર-પાંચ જગ્યાએ વિના વળતર સેવાઓ આપી. તેમજ જેમતેમ કરીનેઆર્થિક મર્યાદા સાચવીને મે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પુર્ણ કર્યો.આ દરમ્યાન હું મારા પિતાજીને પણ વ્યવસાયમાં મદદ કરતો.
ત્યાર બાદ પિતાજી તથા મોટાભાઇ સાથેનાવ્યવસાયમાં સભાનતાપુર્વક કારકીર્દી શરૂ કરી. સામાજીક જવાબદારીઓ નિભાવતા- નિભાવતા અમે બન્ને ભાઇઓએ મળીને પિતાજીના વ્યવસાયનેજરૂરિયાત મુજબ પરિવર્તન આપીને નિશ્ચિત ગતિથી સ્થિરતાપુર્વક વ્યવસાય આગળ વધાર્યો.સમયનું વહેણ બદલાય તેમ મળીને વ્યવસાય નવપરિવર્તન લાવ્યા. અને એમા સફળ પણ થયા.
પરંતુ અમારો કૌટુંબિક વિકાસ થતાં અમારી આવક-જાવકનું ગોઠવણ કરેલી કપરી થતી ગઇ. આ ગાળામાં અમારે વ્યવસાયમાં જોરદારમંદી આવી. અને આવક વધારવા માટે વ્યવસાયમાં મુળભુત પરિવર્તનલેવાનો સમય આવ્યો.
હું નાનો અને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો હોવાથી આ જવાબદારી મે સ્વીકારીને , મારું પોતાનુ સ્થાન જમાવવા માટે સંઘર્ષ શરૂ કર્યો. એ સમયગાળો ગુજરાતની ધરતીને ધ્રુજાવનાર ભયાનક ભુકંપનો હતો.આ વાત એટલા માટે યાદ છે કે તે જ દિવસે મારા જીવનનો સૌથી મોટો ટર્નીંગ પોઇન્ટ હતો. તે દિવસે હું મારીપત્ની તથા દીકરા સાથે જુનાગઢ રહેવા જવાનો હ્તો. અને એ માટે ઘરવખરીનો સામાન વાહનમા મુકવાનો હતો બરાબરએજ સમયે સવારમા ભુકંપ આવેલો.
તે સમયે મારી ઉંમર ૩૪ વર્ષની હતી. ત્યાર બાદ ૮ વર્ષ મે ખુબજ સંઘર્ષપુર્વક મહેનત કરી. પરંતુ ધારી સફળતામળતી નહોતી. અને આર્થિક સંકડામણ દુર થતી નહોતી. આ માટે મે કટલેરીનો વ્યવસાય શરૂ કર્યો. તેમા આર્થિક સધ્ધરતા જોઇએ એમારી મર્યાદા હતી. નાણાંના અભાવને કારણે ખુબ જ પરેશાની ભોગવવી પડતી.
જેથી કટલેરી નો વ્યવસાય છોડીને ખાણી-પીણીનો વ્યવસાય શરૂ કર્યો. તે માટે વડાપાંઉ, સેન્ડવીચ,ગાંઠીયા વગેરે બનાવીને ઘેરથી વેચાણશરૂ કર્યું. લગભગ દોઢથી બે વર્ષઆમાં સંઘર્ષ કર્યો. અને ફુડના રીટેલ કાઉન્ટરના અનુભવે મને સ્વાદ પારખતાં તેમજલોકોને મનભાવન સ્વાદ આપવાનું જ્ઞાન પ્રાપ્ત થયું.
પરંતુ અનાજ તથા અન્ય ખાધ્ય વસ્તુઓનો બગાડ થાય તે બાબતનો મને અણગમો હતો. અને રીટેલ કાઉન્ટર મા બગાડ થાયા જ. આ સમસ્યાનુંસમાધાન મેળવવા માટેના પ્રયત્નો કર્યા.અને ગ્રેવી થીકમર શોધીકાઢી તેનુ વેચાણા માટે માર્કેટીંગ શરૂ કર્યુ. અહીં પણ ખાસ સફળતા મળી નહીં.
તેથી માર્કેટમાં શેની જરૂરિયાતછે તે જાણ્યુ. અને હોટલો તથા કેટરીંગના વ્યવસાયીઓને કાચો માલ સપ્લાય કરવાનું શરૂ કર્યું.તે માટે હું સમયની દરકાર કર્યા વિના હોટલોતથા કેટરીંગના સંચાલકોને મળીને તેમની જરૂરિયાતનીવસ્તુઓ લાવી પુરી પાડવાનું શરૂ કર્યું.
સ્વાભાવિક છે કે આવાં ગ્રાહકો જે વસ્તુ માંગે તે વસ્તુ મળવી આસાન ન હોય.અહીં મને મારો સંશોધનાત્મક તથા સર્જનાત્મક સ્વભાવની મારી હોબી આવી ઉપયોગી થઇ, મારા ગ્રાહકોની જરૂરિયાત સંતોષવામાં મને સફળતા મળવા માંડી. આજે પણ મારા ગ્રાહકો કંઇક અલગ નવી વસ્તુ જોઇતી હોય તો યાદ કરે છે.
આ સમયગાળા દરમ્યાન મને ઘણી વસ્તુઓ વેચાણમાટે મળી. પરંતુ તેમા હિંમત તથા આયોજનનો અભાવ તથા થોડી ઘણી આર્થિક મુશ્કેલી જેવી મર્યાદાનો સામનો કરવાનો આવ્યો.
એપ્રિલ ૨૦૦૭ માં સીઇડીના મોડ્યુલ ૧ ના કોર્ષની માહિતી મને મળી.તેમાં પ્રવેશની વિધી આટોપી દીધી. તેની ફી માટે સખત નાણાભીડને કારણે હું ખચકારઅનુભવતો હતો. તે માટે મને કોર્ષના સંચાલકોએ હિંમત આપી. અને મે આ કોર્ષમાં પ્રવેશ મેળવી લીધો. જે મારી સફળતાની કેડી પર મારું પ્રથમ પગલું હતું.
આ એક માસના કોર્ષ દરમ્યાન મને થીયરીકલ અને પ્રેક્ટીકલ રીતે ઘણુ શીખવાનું મળ્યું અને મને વ્યવસાયમાં પડતી મુશ્કેલીઓને સંભાળવા તથા સામનો કરવાનુ જ્ઞાન તથા હિંમત આવી ગઇ. અને વ્યવસાયિક સાહસિકમાં જોઇતા ગુણો મારા વિકસ્યા. અને આ કોર્ષો કર્યા બાદ મારી ૪૨ વર્ષની ઉંમરે મે મારા આત્માના અવાજથી વ્યવસાય શરૂ કર્યો.
આર્થિક સંકડામણ ખુબ જ હતી. પિતાજીને વાત કરતા તેઓએ લોન કે ઉછીના નાણા લેવાની મંજુરી આપેલ નહીં,અને "પછેડી હોય તેટલી જ સોડ તણાય” તેવું કહેલું એ વાત ધ્યાનમાં રાખી.
ફક્ત રૂ/-૫૦૦૦ જેવી નહીવત મુડીથી મે વ્યવસાય શરૂ કર્યો. મારી સખત મહેનત,નિષ્ઠા અને નિતિમત્તા અને સમયપુસ્તતા જોઇને મારાં ગ્રાહકો પ્રભાવિત થયા. મને માર્કેટમાંથી સપોટ મળવા લાગ્યો.આ જ સમયગાળામાં મે સીઇડીની તાલીમ લીધેલી તેમાં શ્રી જાની સાહેબે મને અંગતરીતે માર્ગદર્શન આપેલું
ટુંકમાં કહુંતો રસદાર ઘોરેલીકેરી હોય પરંતુ તેમાં ઉપર ડીંટીયુ લગાવેલ હોય તો રસ ના જ નીકળે. અને ડીંટીયુ કાઢતા જ કેરી માંથી મીઠો મધુરોરસ નીકળવા માંડે. એમણે મારા જીવનરૂપી ઘેરાયેલી કેરીનું ડીંટીયુ કાઢવાનું કામ કર્યુ. અને સફળતારૂપી રસનો સ્વાદચાખવા મળ્યો.
જે તે સમયે સીઇડીનું માર્ગદર્શન મને ના મળ્યુંહોતા તો હું આટલો સફળ થાત કે કેમ? તે એક પ્રશ્નાર્થ છે
ત્યાર બાદના છેલ્લા સાત વર્ષથી શાકભાજીના તથા વિવિધ ખાધ્ય પાવડરોમાથી હાલના ખાધ્ય
વ્યવસાયમાં વિવિધતાસભર સ્વાદિષ્ઠ મસાલાઓની બનાવટ શરૂ કરી.ફૂડ પ્રોડક્ટને લગતા વિવિધ મસાલા નું યુનિટ ૨૦૦૯ માં શરૂ કરેલ.ઉપરાંતપાપડ વગેરે જેવી અનેક નાની મોટી વસ્તુઓનું વેચાણ શરૂ કર્યું.
મે મારી પોતાની સર્જનાત્મકતાની હોબીથી જલ્દી બગડે નહીંઅને લાંબો સમય સુધી જળવાઇ રહે તેવી પ્રોડક્ટો પાઉડર સ્વરૂપે બજારમાં વેચાણ અર્થે મુકી છે. જેમા ભજીયામાં વપરાતી ખટમીઠી ચટણી,લીલા મરચાં-સીંગદાણાનીચટણી,લસણ ચટણી મુખ્ય છે.આ માટે ગ્રાહકે માત્ર પાણી જ ઉમેરવાનું રહે છે.ગરમ કરવાની જરૂર નથી. આચટણીઓ પાઉડર રૂપે હોવાથી વિશ્વભરમાં ક્યાંય પણ લઈ જઇ શકાય છે.અને જરૂરિયાતના સમયે તાત્કાલિક ધોરણે બનાવી શકાય છે.
આ ઉપરાંત આલુ (બટાટા)ની સેવ,સોયાસ્ટીક જેવી વસ્તુઓ ફરસાણ ઉત્પાદકો માટે પડકારજનક છે.તે માટેનો તૈયાર લોટ મે લગભગ દોઢેક વર્ષ મહેનત કરીને બનાવેલ છે.તેમજ ગ્રાહકોની જરૂરિયાત મુજબના.વિવિધતાસભર સ્વાદના મસાલાઓપણ તૈયાર કરી આપુ છું.